સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ સુન્નીઓની બે સૌથી ભરોસાપાત્ર કિતાબો છે. આ કિતાબ વિશે તેઓ દાવો કરે છે કે તે સહીહ છે (એટલે કે બધી હદીસો આ કિતાબોમાં સહીહ અને ભરોસાપાત્ર છે). આવો આપણે ટુંકમાં જોઈએ કે મુર્દા પર રોવા વિષેની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની સુન્નત બાબતે આ બંને કિતાબોનું મંતવ્ય શું છે. પહેલા આપણે સહીહ મુસ્લીમની હદીસ જોઈએ: ઉમ્મે સલમા વર્ણન કરે છે, ‘જ્યારે અબુ સલમાની વફાત થઈ, તો મેં કહ્યું, ‘હું પરદેશમાં એકલી થઈ ગઈ. હું એવી રીતે રડીશ કે તેની ચર્ચા થાય. મેં તેમના પર રડવાની તૈયારી કરી કર્યું. શહેરના એક ખુણેથી એક સ્ત્રી પણ આવી જે મને રોવામાં મદદ કરવા ઈચ્છતી હતી. તે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસેથી પસાર થઈ તો આપ (અ.સ.) એ તેને કહ્યું, ‘શું તમે એમ ઈચ્છો છો કે શયતાનને એ ઘરમાં લાવો જેમાંથી અલ્લાહે તેને બે વખત બહાર કાઢયો છે? તેથી, મેં (ઉમ્મે સલમા) રડવાનું છોડી દીધું અને પછી રડી નહિ. (સહીહ મુસ્લીમ, કિતાબ-4, હદીસ નં. 2007) ઉપરની હદીસમાં પયગમ્બર (સ.અ.વ.) મૃત પર રડવાની મનાઈ કરી કારણ કે તે શયતાનને ઘરમાં દાખલ કરે છે. આવો હવે આપણે બુખારીમાં શું લખ્યું છે તે જોઈએ: અનસ બિન માલીક વર્
The site is dedicated to the pure soul of Imam Husain(a.s).