શંકા: ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે. જવાબો: અઝાદારી એ માધ્યમ છે જે ખલીફાઓએ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર ઝુલ્મો કર્યા હતા તેના પ્રત્યે સહાનુભુતી દર્શાવવાની. આ બાબતે એહલેસુન્નતના ઈમામ ફખરૂદીન રાઝીની વાત નોંધપાત્ર છે: ‘તે વાત નક્કી છે કે જે કોઈ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મહોબ્બત સાથે મરે તે શહીદ મરશે.’ (તફસીરે કબીર, ભાગ-7, પા. 390) કિતાબ અલ બિદાયહ વન્નીહાયહ, ભાગ-4. પા. 45 (બૈત પ્રકાશન) માં છે કે: અબુ હુરૈરહ નકલ કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) શહીદોની કબ્રો ઉપર દર વર્ષે જતા હતા. જ્યારે આપ (સ.અ.વ.) પહાડોમાં દાખલ થતા તો આ રીતે ફરમાવતા: ‘અસ્સલામો અલય્કુમ બેમા સબરતુમ’ એટલેકે ‘સલામ થાય આપના ઉપર જે કાંઈ તમોએ સબ્ર કરી તેના લીધે.’ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી હ. અબુબક્ર પણ દર વર્ષે આવતા અને તેના પછી હ. ઉમર પણ આમ જ કરતા અને હ. ઉસ્માને પણ આમ કર્યું છે.’ કિતાબ અલ બિદાયહ વન્નીહાયહ, ભાગ-6, પા. 360 માં છે કે: ‘હ. ઉમરે કહ્યું: જ્યારે હું સુર્યોદયના
The site is dedicated to the pure soul of Imam Husain(a.s).