મોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે? (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)

મોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા વખતે તેઓ ૬ મહિનાથી પણ ઓછા સમયથી ગર્ભમાં હતા. (અલ્-હિદાયત અલ્-કુબ્રા પાના નં. ૪૦૭, બેહારુલ અનવાર ભાગ ૫૩, પાના ૧૯)
મોહસીન ઇબ્ને અલી અ.સ.ને ફાતેમા સ.અ. પર થયેલ હુમલાના રાજકારણ અને કાવાદાવાઓથી જરા પણ લેવા દેવા ન હતો.  તે દિવસે બનેલ બનાવ વિષે તેને કાંઈ લેવા દેવા ન હતું અને જે કોઈને અલી અ.સ. અથવા ફાતેમા સ.અ. સાથે કોઈ વાંધો હતો તેને પણ મોહસીન બિન અલી અ.સ. સાથે પણ કઈ લેવાદેવા ન હતુ. જે લોકો અલી અ.સ. અને ફાતેમા સ.અ.ની માસુમિયત વિષે વાદવિવાદ કરે છે તેમની સમક્ષ પણ જયારે એક અજાત બાળકની માસુમિયતનો ઉલ્લેખ કરવામાં આવે છે તો તેઓ ચુપ થઇ જાય કારણકે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી.
જોકે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલ હુમલો ગેરકાનૂની હતો, પણ મોહસીન બિન અલી અ.સ.પર થયેલ હુમલો ઘણી રીતે આ હુમલાનો સૌથી વધુ  ગેરકાનૂની ભાગ હતો.
જે રીતે આ નીતિભ્રષ્ટ હુમલાએ ૫૦ વરસ પછીના કરબલાના ખુની હુમલાનો પાયો નાખ્યો, કદાચ તેજ રીતે આ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદત હતી કે જેણે તેના માતાપિતાની માસુમિયતની રક્ષા કરી(અને)જેણે તેના ભત્રીજા અલી ઇબ્ને હુસૈન (અલીઅસગર)ને તેના પિતાની માસુમિયતની રક્ષા કરવા કરબલામાં દુશ્મનો સામે લડવા પ્રેરણા પૂરી પાડી. ઈમામ હુસૈન અ.સ. મઝલૂમ લોકોમાં અનન્ય છે કેમકે તેઓ બન્ને હુમલાના સમયે હાજર હતા-તેમના માતાપિતા અને ભાઈ પરના (હુમલા) સમયે અને બીજો તેમના બાળકો, ભત્રીજા-ભાણેજો અને બીજા ભાઈ પરના હુમલા સમયે (કરબલામાં).
તે કદાચ મોહસીન ઇબ્ને અલી અ.સ.ની શહાદતની જબરદસ્ત અસર હતી જેણે અમુક મુસ્લિમોને આ હુમલામાં તેમની શહાદતને નકારવા અને તે માટે બીજા કારણો આપવા પ્રેર્યા. સ્પષ્ટ રીતે આ ખોટી અથવા અપૂરતી માહિતી પર આધારિત પ્રચાર છે જે ફાતેમા સ.અ.ના ઘર પર થયેલા હુમલાને જ સમ્પુર્ણપણે નકારવા જેવો પ્રચાર છે.  ફાતેમા સ.અ.ના ઘર પરના હુમલાનું કોઈ વ્યાજબીપણું છે જ નહિ અને તેથી માત્ર એકજ રસ્તો છે-તેનો સદંતર ઇનકાર કરવો.

મૃત પર રોવાની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નત વિષે સહીહ મુસ્લીમની વિરૂધ્ધ સહીહ બુખારી

સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ સુન્નીઓની બે સૌથી ભરોસાપાત્ર કિતાબો છે. આ કિતાબ વિશે તેઓ દાવો કરે છે કે તે સહીહ છે (એટલે કે બધી હદીસો આ કિતાબોમાં સહીહ અને ભરોસાપાત્ર છે).
આવો આપણે ટુંકમાં જોઈએ કે મુર્દા પર રોવા વિષેની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની સુન્નત બાબતે આ બંને કિતાબોનું મંતવ્ય શું છે.
પહેલા આપણે સહીહ મુસ્લીમની હદીસ જોઈએ:
ઉમ્મે સલમા વર્ણન કરે છે, ‘જ્યારે અબુ સલમાની વફાત થઈ, તો મેં કહ્યું, ‘હું પરદેશમાં એકલી થઈ ગઈ. હું એવી રીતે રડીશ કે તેની ચર્ચા થાય. મેં તેમના પર રડવાની તૈયારી કરી  કર્યું. શહેરના એક ખુણેથી એક સ્ત્રી પણ આવી જે મને રોવામાં મદદ કરવા ઈચ્છતી હતી. તે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસેથી પસાર થઈ તો આપ (અ.સ.) એ તેને કહ્યું, ‘શું તમે એમ ઈચ્છો છો કે શયતાનને એ ઘરમાં લાવો જેમાંથી અલ્લાહે તેને બે વખત બહાર કાઢયો છે? તેથી, મેં (ઉમ્મે સલમા) રડવાનું છોડી દીધું અને પછી રડી નહિ.
(સહીહ મુસ્લીમ, કિતાબ-4, હદીસ નં. 2007)
ઉપરની હદીસમાં પયગમ્બર (સ.અ.વ.) મૃત પર રડવાની મનાઈ કરી કારણ કે તે શયતાનને ઘરમાં દાખલ કરે છે.
આવો હવે આપણે બુખારીમાં શું લખ્યું છે તે જોઈએ:
અનસ બિન માલીક વર્ણન કરે છે, ‘અમે પયગમ્બર (સ.અ.વ.) ની એક દિકરીના જનાઝામાં શરીક હતાં,  આપ (સ.અ.વ.) કબ્રની બાજુમાં બેઠા હતા અને મેં જોયું કે આપની આંખોમાંથી આંસુ વહેતા હતા.
(સહીહ બુખારી, કિતાબ 23, હદીસ 374)
ઉપરની હદીસમાં આપણે જોયું કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાની દિકરી પર રડયા હતા.

પૃથ્થકરણ:
  1. બંને કિતાબો સહીહ અને ભરોસાપાત્ર હોવાનો દાવો ધરાવે છે.
  2. બંને કિતાબોમાં એકબીજાથી વિરોધાભાસી હદીસો છે.
  3. એક હદીસ મુજબ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) મૃત પર રડવાની મનાઈ કરી જ્યારે બીજી હદીસ પ્રમાણે ખુદ પોતે પોતાની દિકરીની વફાત પર રડયા હતા.
  4. તેથી ય તો બંને માંથી એક કિતાબ સહીહ નથી અથવા તો પયગમ્બર (સ.અ.વ.) જે બાબતની તબ્લીગ કરે છે તેના પર અમલ નથી કરતા (નઉઝોબીલ્લાહ)
  5. અગર બે માંથી એક કિતાબ સહીહ છે તો બીજી કિતાબની ભરોસાપાત્ર હોવા વિશે શંકા છે.
  6. અગર બંને કિતાબો સહીહ છે તો પછી પયગમ્બર (સ.અ.વ.)ના ભરોસાપાત્ર હોવા વિશે શંકા થાય છે (નઉઝોબીલ્લાહ) !!!