Skip to main content

મૃત પર રોવા બાબતે ઉમર વિરૂધ્ધ આયેશા

મોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર કહેવાતા સાચા ઈસ્લામના માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે.
જયારે આ મુસલમાનો રોવું કે નહિ તે વિશે શીઆની માન્યતાથી અસંમત છે, તો આવો આપણે તેઓની  બે આદરણીય વ્યક્તિઓ ઉમર અને આયેશાનો મંતવ્ય આ વિષય પર એકમત છે કે નહિ તે જોઈએ.
સઈદ બિન મુસય્યબથી વર્ણન છે કે આયેશા તેના પિતાની વફાત પછી તેના પર રડી હતી. જ્યારે આ ખબર ઉમર સુધી પહોંચ્યા તેણે તેની મનાઈ કરી પરંતુ આયેશાએ ખલીફાના હુકમને રદ કર્યો. પછી હિશામ બિન વલીદને હુકમ આપવામાં આવ્યો કે આયેશા પાસે જાય અને મોટા અવાજે રડવાથી રોકે. જેવું સ્ત્રીઓએ હિશામના હુકમનું પાલન કર્યું અને તેણીઓ ઘરમાંથી બહાર નીકળી ત્યારે ઉમરે તેણીઓને સંબોધીને કહ્યું: ‘શું તમે એવું ઈચ્છો છો કે અબુબક્ર પર તમારા રડવાથી અઝાબ થાય? બેશક મૃત પર રડવાથી તેના પર અઝાબ થાય છે.
(સહીહ તિરમીઝી, હદીસ નં. 1002)
ઉપરના બનાવ પરથી તે તારણ નિકળે છે કે:
૧. અગર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ખરેખર મૃત પર રડવાની મનાઈ કરી હતી (જેમકે ઉમરે કહ્યું) તો પછી આયેશાએ પયગમ્બર (સ.અ.વ.) ના હુકમનો અનાદાર કર્યો.
૨. તે દલીલ પણ થઈ શકે કે તેણીએ લાગણીના આવેશના કારણે રડવા લાગી પરંતુ જ્યારે ઉમરે રડવાની મનાઈ કરી તો તેણી માની નહિ તેથી તેણીએ મુસલમાનોના કહેવાતા ખલીફાના હુકમનો વિરોધ કર્યો.
આયેશાનું આ કાર્યથી તેણીએ:
(અ) પયગમ્બર (સ.અ.વ.) ની હદીસનું અનુસરણ ન કર્યું
(બ) તેણી પોતાની લાગણીના આવેશમાં આવી ગઈ
(ક) કહેવાતા ખલીફાના હુકમનો અનાદર કર્યો.
છતાં બુખારીએ પોતાની સહીહમાં તેણી ઘણી બધી હદીસો નકલ કરી છે.
તેથી મુસલમાનો માટે જરૂરી છે કે:
  1. આયેશાને માન આપવાનું છોડી દેવું જોઈએ કારણકે તેણીએ પયગમ્બર (સ.અ.વ.) અને કહેવાતા ખલીફાના હુકમનો અનાદર કર્યો.
  2. સહીહ બુખારીને માન આપવાનું છોડી દેવું જોઈએ કારણકે બુખારી એ ઘણી બધી હદીસો આયેશાથી નકલ કરી છે.

Comments